Eng.

ભાવનગર વ્રુધ્ધાશ્રમ ટ્રસ્ટ આપનુ સ્વાગત કરે છે


માતૃદેવો ભવ પિતૃ દેવો ભવ


વ્રુધ્ધજનોની સેવામા અગ્રણી સંસ્થા તેની સ્થાપનાના ૫૦ વર્ષો પુરા કરે છે  (૨૦૨૦મા ૫૦ વર્ષ પુરા )

  • ગુજરાતમાં વ્રુધ્ધોની સંભાળની અગ્રણી સંસ્થા -  ખાસ કરીને સમાજના ગરીબ વર્ગની સંભાળ.
  • એક વિશિષ્ટ સંસ્થા રૂપે અન્ય સંસ્થાઓ માટે ઉદાહરણ.
  • વ્રુધ્ધોને શારિરીક, માનસિક, ભાવનાત્મક અને બૌધ્ધિક આધાર પુરો પાડી માનભરની સંભાળ.
  • વ્રુધ્ધોની સંપુર્ણ માવજત સાથે આનંદ આપતી પ્રવ્રુતિઓ.

આ વિશિષ્ટ કાર્ય માટે સ્થાપકોની પ્રતિબધ્ધતા4 સંનિષ્ઠ પ્રયત્ન, ટ્રસ્ટીઓની નિસ્વાર્થ4 કુશળ સેવા4 સંસ્થા માટે જરુરી આર્થિક બીન આર્થિક મળી રહેલી મદદ કરનાર દાતાશ્રીઓ, વિવિધ સંસ્થાઓ, સ્વંયસેવકો તેમજ સમગ્ર સમાજ સહયોગી છે.
આ સંસ્થા તેના હેતુઓને પુર્ણ કરતી રહીને સમાજના અનેક કુટુંબો- વ્યક્તિઓ માટે આશિર્વાદ રૂપ બની છે.
ભાવનગર શહેરના સેવાપ્રેમી લોકો, દાતાઓ અને સંસ્થાના કર્મચારી વર્ગના સહયોગથી સંસ્થા પ્રતિષ્ઠિત બની છે.

૧. સંસ્થાનુ મિશન, ભાવિ દ્રષ્ટી અને પ્રતિબધ્ધતા:

  • સમાજના કોઇપણ ધર્મના, જ્ઞાતિના, જાતિના લોકોમાંથી આવતા વ્રુધ્ધોને શારીરિક, ભાવાત્મક, બૌધ્ધિક અને આધ્યાત્મિક સુખાકારી પુરી પાડ્વા અને તેમના જીવનમાં સુખ – શાંતિ બની રહે તેવા તમામ પ્રયત્નો કરવા, આ માટે જરૂરી મેડીકલ, સાંસ્કૃતિક, અધ્યાત્મિક વાતાવરણ સર્જવુ. તેમની આવશ્યક ભૌતિક જરૂરીયાતો – સાત્વિક આહાર સાથે પુરી પાડવી. તેમનો સમય આનંદ સાથે પસાર થઇ શકે તેવા પ્રયત્નો કરવા.
  • સંસ્થાની પ્રવ્રુતિઓમાં  'સેવા ભાવના' જાળવવી, આ માટે, દાતાઓની આર્થિક સહાય, નિષ્ણાતો અને સ્વયંસેવકોની મદદ મળતી રહે તેવા પ્રયત્નો કરવા.
  • વૃધ્ધોની માવજત માટે જરુરી સંભાળના ક્ષેત્રે સત્તત નવિનતમ બની રહેવુ.
  • દરેક આશ્રમવાસી તેમના જિવનની સેકન્ડ ઇનીગ્સ સ્વસ્થતાથી, સૌહાર્દ્પુર્ણ, આધ્યાત્મિક આનંદથી પસાર કરે.

૨. પ્રારંભ

  • સ્વર્ગસ્થ શ્રી માનભાઇ ભટ્ટ ભાવનગરમાં સામાજિક ક્ષેત્રે ૧૯૪૧ થી કાર્યરત હતા. તેમના ધ્યાનમા વ્રુધ્ધોની માવજતનો ખ્યાલ આવ્યો જેથી વ્રુધ્ધોને કૌટુબિક પ્રેમ, સંભાળ મળી શકે.
  • શ્રી માનભાઇ તથા તેમના સાથી મિત્રોના પ્રયત્નોથી ૧૯૭૦મા ભાવનગર વ્રુધ્ધાશ્રમ ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયુ.
  • ભાવનગર વ્રુધ્ધાશ્રમના આ શરુઆતના પ્રયત્ને સરકારી સહાય મળે છે.
  • આશ્રમના મકાન માટે દાન આપનાર – શ્રીમતી ગુલાબબેન હરિભાઇ શાહ વ્રુધ્ધ નિકેતન બંધાયુ.
  • શરૂઆત ડોરમેટરીના બાંધકામ સાથે ૧૦ આશ્રમવાસીઓથી થઇ.
  • ક્રમશ: વધતા જતા ૧૦૦ વ્યક્તિઓનો સમાવેશ થયો.
  • વધતી સંખ્યાના સમાવેશ માટે નવી વ્યવસ્થા જરૂરી બનતા વર્ષ ૨૦૦૪મા નવુ મકાન બંધાયુ.
  • નવા મકાનના દાતાશ્રીના નામે 'શ્રીમતી વસંતલક્ષ્મી નાનાલાલ ભાયાણી જીવન સંધ્યા આરોગ્ય સુશ્રુષા ધામ’ સંપૂર્ણ સામાજિક સહાયથી કાર્ય કરે છે.
  • ૧૯૭૦થી વ્રુધ્ધોની શરુ થયેલી સેવાયાત્રા ૨૦૨૦મા ૫૦ વર્ષ પુરા કરે છે.

કોવિડ’ 19 અને લોકડાઉન દરમ્યાન


  • કોવિડ '19 ના ગંભીર સમય દરમિયાન આશ્રમના સાથીઓ સામાજિક અંતરનો સખત અભ્યાસ કરે છે.
  • એકથી બીજાથી 6 ફૂટનું અંતર જાળવી રાખવું. પ્રાર્થના સમયે, ભોજનનો સમય અને મનોરંજનના સમય દરમિયાન પણ આશ્રમના સંવનન સામાજિક અંતર જાળવી રાખે છે.
  • બધા આશ્રમના સંવનન અનિવાર્યપણે માસ્ક પહેરે છે અને તેમના હાથ ચુસ્તપણે ધોવે છે.
  • આશ્રમના નિષ્ણાંત ડોકટરોની સક્રિય ટીમ નિયમિત મુલાકાત અને આરોગ્ય તપાસ દ્વારા આશ્રમના સાથીઓની સંભાળ રાખે છે.

     
     

 

Old Age Home Building Construction


     
   

Donation Received for Old Age Home Building Construction



35 Lakhs Donation by Shri Kiritbhai Sheth

29 Lakhs Donation by Madhusilica Director Shri Darshakbhai Shah
     

9 lakhs Donation by Pankajbhai Bhayani (Panila Chem Limited )

Tejasbhai Sheth